હિંસાની પરંપરા
Apr 6th 2008'Sufi'Uncategorized
હિંસાની પરંપરા
દયા દિલમાં નથી તો પ્રીત પ્રભુથી કરી નથી શકતા
જપી માળા પ્રભુની જીવ હત્યા કરી નથી શકતા
તબાહીથી બચાવે આ જગતને તે અહિંસા છે
છતાં નુસખો મહાત્માઓનો જગને દઈ નથી શકતા
મહાવીરને કે ગૌતમને, મહાત્મા બાપુજીને પણ
અહિસાને તજી અંજલિ પવિત્ર દઈ નથી શકતા
હિસા જ્યાં જ્યાં થવા લાગી ત્યાં રંગ બદલાયા ધર્મોના
વણી જે જાળ હિંસાની હવે કતરી નથી શકતા
હજારો યુદ્ધ, સંઘષો થયાં, લાખો બીજાં થાશે
જ્યાં છે વિકૃતિ ધર્મોમાં ત્યાં હત્યા તજી નથી શકતા
જગત ધૂણી રહ્યું છે અંધ શ્રદ્ધાઓ ની મસ્તીમાં
જુઓ ભડકે બળે છે પણ્ બુઝાવી દઈ નથી શકતા
અમારાં જ્ઞાન મર્યાદિત છે ધર્મના કેદખાનામાં
છતાં ભ્રમ જ્ઞાનિ હોવાનો, અજ્ઞાનિ તજી નથી શકતા
ઓ ઈશ્વર તું સમજ દે નાસમજ ધર્માંધ ભક્તોને
કે હત્યારા બની ભક્ત કે નમાજી થઈ નથી શકતા
મહિમા શું છે કુદરતનો ‘સૂફી’ પુછીશના કોઈને
કુવામાંથી કોઈ, શું બાહાર છે તે કહી નથી શકતા
‘સૂફી’ પરમાર
1 Comment »
Ramesh Patel on 13 Sep 2009 at 6:31 pm #
હિસા જ્યાં જ્યાં થવા લાગી ત્યાં રંગ બદલાયા ધર્મોના
વણી જે જાળ હિંસાની હવે કતરી નથી શકતા
હજારો યુદ્ધ, સંઘષો થયાં, લાખો બીજાં થાશે
જ્યાં છે વિકૃતિ ધર્મોમાં ત્યાં હત્યા તજી નથી શકતા
કેવી ભવ્ય વાત ,ભેગા મળીને વિચારીએ તો
કોઈ દુખીનારહે.
રમેશપટેલ(આકાશદીપ)