સંકટ નિવારણ

સંકટ નિવારણ

પ્રભુની સામે બેઠો છે, એ સમજી ને દુઆ કરજે
તને જોયા કરેછે એમ સમજી ને પૂજા કરજે

નથી આવડતા કોઈ બોલ જો પૂજા કે ભક્તિના
તું વહેતાં આંસુઓની આરતી લઈ ને ઝુક્યા કરજે

જીવનમાં દુઃખ અને આપત્તિ આવે છે કુકર્મોથી
ટળે છે દુઃખ સુકર્મોથી, તું સુકર્મો કર્યા કરજે

ગયું છે જ્ઞાન પડદામાં, ચઢ્યું અજ્ઞાન ચૌટામાં
અહીં મતભેદ છે લાખો, તુ ગૂંચવણ થી બચ્યા કરજે

છે કર્મકાંડની ઝગમગ, તને ઈશ્વર ત્યાં ક્યાં મળશે
છુપી બેઠા છે ઈશ્વર દિલમાં, દિલમાં જઈ મળ્યા કરજે

જીવનમાં દુઃખ જે આવે છે, ડહાપણ લઈને આવે છે
વિના કારણ નથી ઘટના કોઈ, ચિંતન કર્યા કરજે

‘સૂફી’ને સુખ અને દુઃખમાં ભણક ભગવાનની થઈ છે
કહેછે તું પ્રભુતાના નશામાં નિત રહ્યા કરજે

‘સૂફી’ પરમાર

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.